ચૂંટણીપંચે કાયદાપ્રધાનને કરી દરખાસ્ત, ચૂંટણી સોગંધનામામાં ખોટી માહિતી રજૂ કરવા પર થાય બે વર્ષની સજા

મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે  બીજી દરખાસ્ત મતદારયાદીને આધાર સાથે જોડવાની છે.

ચૂંટણીપંચે કાયદાપ્રધાનને કરી દરખાસ્ત, ચૂંટણી સોગંધનામામાં ખોટી માહિતી રજૂ કરવા પર થાય બે વર્ષની સજા
FILE PHOTO : Chief Election Commissioner
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 7:57 PM

મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad) ને એક પત્ર લખીને ચૂંટણીના સોગંદનામા (Election affidavit)માં ઉમેદવારો દ્વારા ખોટી માહિતી આપવા બદલ બે વર્ષની જેલની જોગવાઈ સહિતના અનેક ચૂંટણી સુધારાને લગતી દરખાસ્તો ઝડપથી કરવા તાકીદ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું, “મેં કાયદા પ્રધાનને પત્ર લખ્યો છે કે આ દરખાસ્તો તુરંત ધ્યાનમાં લેવી જોઈએ અને આશા છે કે ટૂંક સમયમાં મંત્રાલય દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવશે.” આ સાથે જ ચૂંટણીપંચ (Election Commission) એ એવી પણ દરખાસ્ત કરી છે કે પેઈડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા (Laws of public representation) હેઠળ ગુનો બનાવવો જોઈએ.

ખોટી માહિતી બદલ બે વર્ષની સજા થાય ચૂંટણીપંચ (Election Commission) એ સૂચવેલા ચૂંટણી સુધારામાંની એક મુખ્ય દરખાસ્ત ચૂંટણીના સોગંદનામા (Election affidavit)માં ખોટી માહિતી આપવા બદલ જેલની મુદત છ મહિનાથી વધારીને બે વર્ષ કરવાની જોગવાઈને લગતી છે. બે વર્ષ કેદની સજા થવાથી સંબંધિત ઉમેદવાર પર ચૂંટણીમાં લડવા છ વર્ષ સુધીનો પ્રતિબંધ લાગુ કરવામાં આવે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું છે કે, હાલમાં છ મહિનાની જેલની જોગવાઈ છે જે કોઈને પણ ગેરલાયક ઠેરવશે નહીં.

સાયલેન્ટ પીરીયડમાં જાહેરાતો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે ચૂંટણીપંચ (Election Commission) એ એવી પણ દરખાસ્ત કરી છે કે પેઈડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા (Laws of public representation) હેઠળ ગુનો બનાવવો જોઈએ અને આ માટેની જોગવાઈઓ થવી જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનરે યાદ કરાવ્યું કે પંચે ચૂંટણી પ્રચાર પૂરો થવાના અને મતદાનના દિવસની વચ્ચેના ‘સાયલેન્ટ પીરીયડ’ દરમિયાન સમાચારપત્રો (Newspapers) માં રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેથી મતદારો પ્રભાવિત ન થાય અને ખુલ્લા મનથી તેમના મતાધિકારનો ઉપયોગ કરે. આ પગલા માટે જન પ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારાની જરૂર રહેશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મતદાન પહેલા સમાચારપત્રોમાં જાહેરાત પર પ્રતિબંધની દરખાસ્ત મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે મતદાનના 48 કલાક પહેલા પ્રચાર સંબંધિત કાયદામાં ફેરફાર સૂચવવા માટે રચાયેલી સમિતિએ ભલામણ કરી હતી કે મતદાનના દિવસે સમાચારપત્રોમાં જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવે. હાલમાં, ઇલેક્ટ્રોનિક મીડિયાને મતદાન પૂર્ણ થયાના 48 કલાક પહેલા પ્રચાર સામગ્રી બતાવવા પર પ્રતિબંધ છે. પરંતુ સમિતિએ ભલામણ કરી છે કે સમાચારપત્રો પર પણ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવે.

ચૂંટણીકાર્ડને આધાર સાથે જોડવામાં આવે મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે  બીજી દરખાસ્ત મતદારયાદીને આધાર સાથે જોડવાની છે. જેથી મતદારયાદીમાં નામ એક કરતા વધારે જગ્યાએ રોકી શકાય. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તાજેતરમાં લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે ચૂંટણીપંચની દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ છે અને આ માટે ચૂંટણીના કાયદામાં સુધારો કરવો પડશે.

Latest News Updates

ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">